બે બૂંદ અમ્રુત..” જ્યોતિષ મંથન ” ઈ-પુસ્તકના..
પ્રિય જ્યોતિષ પીપાસુ મિત્રો,
જ્યોતિષશાસ્ત્ર એ એક વિશાળ સાગર છે.આ સાગરનો તાગ પામવા માટે આમ તો એક જન્મ પણ અપૂરતો છે.સમગ્ર વિશ્વમાં જ્યોતિષ વિષયક જે કાંઈ જ્ઞાન વિદ્યમાન છે તે તો માંડ પાંચ ટકા જેટલું જ છે.છતાંય આ પાંચ ટકાના આધાર પર વિશ્વની ૭૮ ટકા માનવ-વસ્તી આ વિદ્યાને સીધી કે આડકતરી રીતે સ્વીકારે છે.તેની જીજ્ઞાસા દરેક જ્યોતિષ પ્રેમી અને જ્યોતિષ જીજ્ઞાસુઓને હોય છે. તો આ પાંચ ટકામાં શું છે ?….ચાલો તો એ બાબતે બે શબ્દ કહું !
જ્યોતિષ જગતમાં સૌ પ્રથમ રાશિ,રાશિ તત્વ,ભાવ , ગ્રહો,નક્ષત્રો વિ.વિષેનું પ્રાથમિક આવશ્યક જ્ઞાન આત્મસાત કર્યા બાદ જ જ્યોતિષશાસ્ત્રની આંટી-ઘૂંટી સમજાશે.પ્રસ્તુત ઇ-પુસ્તકમાં જન્માક્ષર કે જન્મકુંડળી કઈ રીતે બને તે કરતાં મેં ફળકથન પર જ પ્રકાશ કેન્દ્રીત કરી તેને સરળતાપૂર્વક સહેલી ભાષામાં સમજાવવા નમ્ર પ્રયાસ કર્યો છે.
આ સાથે જ્યોતીષશાસ્ત્ર અંગેનું પ્રારંભીક જ્ઞાન સમજાવતા મારા બ્લોગ www.anilshah19.wordpress.com ઉપર લખાયેલા મહત્વનાં ૬૫ ઉપરાંત લેખો… જેવા કે લગ્ન-વિવાહ,પ્રણય ,સંતાન ,નોકરી-ધંધા,શેર બજાર ,વિવિધ ગ્રહોના ગોચરમાં સમયાંતરે થતાં ભ્રમણના ફળકથન..વિ. નું સંકલન અને લેખન કરી ઈ-બુક સ્વરૂપે વ્યવસાયીક રીતે પ્રગટ કરવાનો મેં ઈશ્વરક્રુપાથી નમ્ર પ્રયાસ કર્યો છે. જેનો આપ સૌ મારા પ્રિય બ્લોગ વાચક મિત્રો સહર્ષ સત્કારશો અને સ્નેહ -ઉમળકાથી વધાવશો.
જોકે .. આ સાથે હવે પછીથી.. મારા બ્લોગ પરના લેખો વાંચવાનો આપને લાભ ન મળતાં લેખો પ્રત્યેના આપના પ્રતિભાવો પણ નહીં મળે તેનો બેશક મને ખેદ રહેશે ! ..
